→ પુખ્ત મનુષ્યની પ્રત્યેક કિડનીનું વજન 120 – 170 ગ્રામ હોય છે.
→ મનુષ્યના મૂત્રપિંડની પહોળાઈ 5 થી 7 સે.મી. જેટલી હોય છે.
→ મૂત્રપિંડની અંદર ઉત્સર્ગ એકમ આવેલા ઓય છે જે લોહીમાંથી વધારાના ક્ષારને અલગ કરી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં મોકલે છે અને મૂત્રદ્વાર મારફતે નિકાલ કરે છે.
→ મૂત્રનો રંગ યુરોક્રોમ અથવા યુરોબીલીનોજન નામના તત્વને આભારી હોય છે.
→ મૂત્રની pH 5.5. થી 7.5 છે.
→ મૂત્રપિંડ લોહીમાં એસિડ- બેઈઝ સંતુલન જાળવી રાખે છે.
→ મનુષ્ય દ્વારા વારંવાર મૂત્રવિસર્જન રોકવાથી મૂત્રપિંડમાં કણો જમા થાય છે. આ જમા થયેલ કણો પથરી તરીકે ઓળખાય છે. જે કેલ્શિયમ ઓક્ઝેલેટનું બનેલું હોય છે.
→ કિડનીમાં યુરિક એસિડ, કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટના કારણે પથરી થાય છે.
→ પથરીને દૂર કરવાના ઓપરેશનને લીથોટ્રોપ્સી કહે છે.
→ પ્રત્યેક કિંડનીમાં આશરે 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ (નેફ્રોન) હોય છે. આ એકમ લોહી ગાળવાનું કામ કરે છે.
→ ગાળણમાં યુરિયા, એમોનિયા, યુરિક એસિડ અને ક્ષાર હોય છે. જે મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં એકઠા થાય છે.
→ મૂત્રમાં 95% પાણી અને 2.6 % યુરિયા, 0.3 % એમોનિયા, 2% ક્ષાર અને યુરિક એસિડ હોય છે.
→ મૂત્રપિંડની સક્રિયતા અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે દરરોજ 4 થી 5 લિટર પાણી પીવું જોઈએ.
→ કિડનીના રોગોના ડોક્ટરને નેફોલોજીસ્ટ કહે છે.
→ નેફ્રોઈટીસ, યુરેમિયા કિડનીના રોગો છે.
→ જ્યારે કિડનીમાં ખામીહો સર્જાય ત્યારે લોહીના શુદ્ધિકરણ માટે દર્દીને આપવામ આવતી સારવારને ડાયાલીસીસ કહેવામા આવે છે.
→ કિડનીનું કાર્ય ચકાસવા માટે “સિરમ ક્રિયેટીનાઇન” ટેસ્ટ કરવામાં આવે છે.
0 Comments